સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th June 2022

જશાપરમાં શાળા પ્રવેશોત્‍સવઃ પૂર્વ વિદ્યાર્થી પૂ. ધીરજમુનિની પધરામણીથી આનંદોત્‍સવ


શ્રી જશાપર પ્રાથમિક શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે જૈનમુનિ અને વર્ષો પૂર્વે શાળામાં અભ્‍યાસ કરનાર પૂ. ધીર ગુરુદેવની પધરામણીથી આનંદોત્‍સવ છવાયો હતો. અધિકારીઓ ચુડાસમા, નંદાણીયા વગેરેનું જૈન રામાયણ અર્પણ કરી સન્‍માન કરાયું હતું. પૂ. ગુરુદેવે ગ્રામજનોને જણાવેલ કે દરેક માવિત્રોએ પોતાના ભાવિના સુખ માટે સ્‍કૂલમાં જે જે જરૂરિયાત હોય તેમાં સહભાગી બનવું જોઇએ. આજની પેઢી આવતી કાલનું ભાવિ છે. કે. ડી. કરમુર તરફથી દરેક બાળકોને કેપ પહેરાવી સન્‍માન કરાયેલ.

 

(10:58 am IST)