જેતપુર ભાજપ દ્વારા બોરડી સમઢીયાળામાં રકતદાન કેમ્પ
જેતપુર : શહેર યુવા ભાજપ દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે રક્તદાન કેમ્પ, શ્રમ કાર્ડ કેમ્પ તથા વેકસીનેશન કેમ્પ તેમજ વડાપ્રધાન મોદી સાહેબની મન કી બાત નો કાર્યકમ સ્વામી લિલાશાહ વાડી ખાતે તેમજ તાલુકાના બોરડી સમઢીયાળા ગામે પટેલ સમાજ ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ બન્ને કેમ્પમાં યુવા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, પુર્વ ધારાસભ્ય જસુમતીબેન કોરાટ, સુરેશભાઈ ક્યાડા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચારિયા, મંત્રી બિંદીયાબેન મકવાણા, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી, બાબુભાઇ ખાચરિયા, રાકેશભાઈ સેંજલિયા, નગરપાલિકા ના પુર્વ પ્રમુખ કિશનભાઇ ધાંધા, જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ મેહુલ વોરા , કોષાધ્યક્ષ નયનભાઈ ગુંદાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ ને સફળ બનાવવા શહેર યુવા મોરચાના પ્રમુખ રાહુલ આસનાણી, મહામંત્રી ચીમન ખાચરિયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ રસિક સખીયા, મહા મંત્રી હરેશ પાનેલિયા, ચિરાગ બુટાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલ : કેતન ઓઝા -જેતપુર)