News of Tuesday, 28th June 2022
ભાવનગરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા : વધુ 26 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
ખેડુતવાસ, ભરતનગર, ઘોઘા સર્કલ અને દેસાઈનગર વિસ્તારમાં કોરોનાના 5 કેસ અને વરતેજમાં એક કેસ નોંધાયો :
( વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર :ભાવનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે શહેરમાં એક સાથે 26 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આજે ભાવનગર શહેરમાં ખેડુતવાસ, ભરતનગર, ઘોઘા સર્કલ અને દેસાઈનગર વિસ્તારમાં કોરોનાના 5 કેસ નોંધાયા છે .જ્યારે ભાવનગર ગ્રામ્યમાં વરતેજમાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. આમ ભાવનગરજિલ્લામાં આજે કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 88 રહેવા પામી છે.
(8:33 pm IST)