સરદાર પટેલનું ઘોર અપમાન કરતા દેશ વિરોધી સૈફુદિન સોઝ અને કોંગીની માનસીકતાનું પુતળા દહન
ભાવનગર ખાતે જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા
ભાવનગર, તા.૨૮: જમ્મુ-કશ્મીરના કોંગ્રેસના નેતા પુર્વ કેન્દ્રીયમંત્રી સૈફુદિન સોઝ દ્વારા કરેલા નિવેદન અને તેણે લખેલા પુસ્તકમાં ભારતના પુર્વ વડાપ્રધાન-ગૃહપ્રધાન લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું કોંગ્રેસના ઇશારે જાણીજોઇને ઘોર અપમાન કર્યુ છે. ભારત-પાકિસ્તાન વિભાજન વખતે સરદાર વલ્લભભાઇ પટેલ જમ્મુ-કશ્મીર પાકીસ્તાનને સોંપી દેવા માંગતા હતા આ રીતે સૈફુદિન સોઝ અને કોંગ્રેસે ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું ઘોર અને હળાહળ અપમાન કર્યુ છે.
તેના વિરોધમાં જીલ્લા ભાજપ યુવામોર્ચા પ્રમુખ શ્રી નરેશભાઇ સોલંકી, મહામંત્રી શ્રી કમલેશભાઇ ઇટાળીયાની આગેવાનીમાં શહિદ ભગતસિંહ ચોક (ઘોઘા ગેઇટ) ખોત વિશાળ સંખ્યામાં યુવામોર્ચાના કાર્યકર્તાઓ એકઠા થઇ કોંગ્રેસની અને સૈફુદિન સોઝની દેશવિરોધી માનસીકતાનો જોરદાર વિરોધ કરી સુત્રોચ્ચાર કરી સૈફુદિનના પુતળાનું દહન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા ઉપપ્રમુખ શ્રી બટુકભાઇ ધાંધલા, મંત્રી શ્રી ભુપતભાઇ બારૈયા શ્રી ઉમેશભાઇ મકવાણા, ઉપપ્રમુખ શ્રી બટુકભાઇ ધાંધલા, મંત્રી શ્રી ભુપતભાઇ બારૈયા, જીલ્લા પ્રવકતા કિશોરભાઇ ભટ્ટ તેમજ અન્ય જીલ્લાના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી એકી અવાજે આ બાબતને વખોડી કાઢી છે. અને ઘોઘા ગેટ ખાતે ચકકાજામ કરી સરદાર દેશ-ગુજરાતની શાન હૈ, કોંગ્રેસ બદનામ હૈ, જહાં બલીદાન હુએ મુખર્જી વો કશ્મીર હમાર હૈના બુલંદ નારા સાથે દેશ-ગુજરાતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું કોંગ્રેસના ઇશારે કરેલુ ઘોર અપમાન જયાં સુધી સૈફુદિન સોઝ અને કોંગ્રેસ દેશની માફી નહિં માંગે ત્યાં સુધી ભાજપ યુવા મોર્ચો લડત જનજાગરણ શરૂ રાખશે.
તમે જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર શ્રી કિશોર ભટ્ટે જણાવ્યુ છે.