સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th June 2018

ગારિયાધારમાં સુખનાથ વિસ્‍તારની ગટરનું કામ વહેલી તકે પૂરૂં કરવા માગણી

ગારીયાધાર તા.ર૮: સુખનાથ ગટરની ધરાશાયી થયેલી દિવાલ પ્રકરણને લઇને સમગ્ર શહેરમાં ન.પા.માં બેજવાબદાર બાબતોથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં વરસાદ આવતાની સાથે જ ગારીયાધાર ન.પા. દ્વારા બનાવવામાં આવેલ વિવેકાધીન ૧પ ટકા ગ્રાંટ ૧૭-૧૮ અંતર્ગત સુખનાથ ઓપન ગટર કામ ચાલુ કરવામાં આવ્‍યું હતું જે કામ કરનારી એજન્‍સી દ્વારા છેલ્લા ત્રણ માસથી કામ અટકાવી દેવામાં આવ્‍યું હતું જેના કારણમાં એજન્‍સી દ્વારા આ ઓપન ગટરની વચ્‍ચે આવતા પોલના કારણે ઓપન ગટરમાં વરસાદનું પાણી આવતા ગટર બ્‍લોક થવાની જાણ લેખીતમાં કરેલ છતાં ન.પા. દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા  આ ગટરની દિવાલ પહેલા જ વરસાદમાં ધરાશાયી થવા પામી છે.

આ ઓપન ગટરના એસ્‍ટીમેન્‍ટમાં દિવાલ ઉભી રાખવા માટે કયાંય સીસી બીમ ભરવામાં આવ્‍યો નથી. લાંબી દિવાલ બનાવી ગટરનું એસ્‍ટીમેન્‍ટ બનાવાયુ  છે તેવી ફરિયાદો છે. ગટરનું કામ વહેલી તકે શરૂ કરવા માગણી ઉઠી છે.

(11:23 am IST)