વેરાવળના કાજલીમાં સોમવારે રામ મંદિરના જીર્ણોધ્ધર નિમિતે ભવ્ય લોકડાયરો
પ્રભાસ પાટણ, તા. ૨૮: વેરાવળ તાલુકાના કાજલી ગામે જુના રામ મંદિરની જગ્યા એ ભવ્ય રામ મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનુ સમસ્ત કાજલી ગામ દ્વારા નકકી કરવામાં આવેલ છે અને આ રામ મંદિરના જીર્ણોધ્ધાર નિમિત્તે તા.૩૦ સોમવારના રોજ સાંજના ૯:૩૦ કલાકે કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે લોકડાયરો રાખવામાં આવેલ છે આ લોક ડાયરાના મુખ્ય કલાકારો પ્રસિધ્ધ લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખાવડ અને લોક ગાયીકા ઉર્વશીબેન રાદડિયા તેમજ કાર્યક્રમના ઓર્ગેનાઈઝ જાણીતા અષાઢી ગાયક દેવગીરી ગોસ્વામી છે.
આ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પરમાર અને જીલ્લા ભાજપ પ્રમુખ માનસિહ ભાઇ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ છે.
આ લોક ડાયરામા પધારવા સમસ્ત કાજલી ગામ અને કાજલી ગામના સરપંચ મેરગભાઇ બારડ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.