જામકંડોરણામાં પાટીલનાં હસ્તે મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ તેમજ વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધી
જામકંડોરણામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ તેમજ વિઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તે નજરે પડે છે. (તસવીર : મનસુખ બાલધા)
જામકંડોરણા તા. ર૮ :.. જામકંડોરણાના મુખ્ય પ્રવેશદ્વાર વિઠ્ઠલભાઇ રાદડીયા પ્રવેશ દ્વારનું લોકાર્પણ વિધી તેમજ ગૌ. વા. શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવી હતી. તેઓએ ગૌ. વા. કલ્પેશકુમાર વિઠ્ઠલભાઇ રાદડીયા ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા આયોજીત શ્રીમદ્્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં હાજરી આપી. કથા શ્રવણનો લાભ લીધો હતો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જયેશભાઇ રાદડીયા તથા ટ્રસ્ટીગણ દ્વારા સી. આર. પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજયમંત્રી મુકેશભાઇ પટેલ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા સહિતના આગેવાનો, મહાનુભાવો તેમજ તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે પાટીલે કથા મંડપમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધી હતી અને સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને યાદ કરી તેમના સેવાકીય કાર્યોની સરાહના કરી હતી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા દ્વારા અનેક મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.