સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

જસદણના ખારચીયામાં ત્રણ ભાઇની એક જ બહેન મેનાને અગનજ્વાળા ભરખી ગઇ

રાજકોટ તા. ૨૮: જસદણના ખારચીયા ગામે રહેતી દલિત યુવતિનું દાઝી જતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ખારચીયા રહેતી મેના મનુભાઇ જાદવ (ઉ.૨૦) ૨૧મીએ રસોઇ બનાવતી વખતે દાઝી જતાં પાળીયાદ સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ ગત મોડી રાત્રે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી જસદણ પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર મેના સ્ટવ પર રસોઇ બનાવતી વખતે ભડકો થતાં દાઝી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેણી ત્રણ ભાઇની એકની એક બહેન હતી. પિતા મનુભાઇ છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(10:49 am IST)