સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

મોરબીના ભરતનગર પાસે ટ્રકની ઠોકરે મધ્યપ્રદેશના યુવાનનું મોત

રાજકોટ તા. ૨૮: મોરબીના ભરતનગર પાસે રસ્તો ઓળંગી રહેલા એમ. પી.ના યુવાનનું ટ્રકની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું છે.

મધ્યપ્રદેશ રહેતો ભરતસિંહ ગોકળસિંહ રાજપૂત (ઉ.૨૩) ગત રાત્રે મોરબી ભરતનગર પાસે ચાલીને રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કોઇ ટ્રકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજાઓ થતાં મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ વહેલી સવારે ચારેક વાગ્યે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે મોરબી  તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

 

(10:49 am IST)