સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th May 2018

બોટાદઃ રૂપાવટીમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાની મિટીંગ

 બોટાદઃ વિસાવદરના રૂપાવટીમાં દરબાર દેવકુભાઈ વિકમાના ફાર્મ હાઉસે ગુજરાતભરના કાઠી રાજપૂત સમાજના મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી તથા મહામંત્રી સુરજપાલ અમ્મુ તથા પ્રદેશ અધ્યક્ષ રાજસિંહ સેખાવત ની હાજરીમાં રૂપાવટી દરબાર સુરાભાઈ વિકમાની જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ. આ તકે આયોજક જયરાજભાઈ દેવકુભાઈ વિકમા રૂપાવટી, ભાભલુભાઈ વાળા સરભંડા, દેવકુભાઈ વિકમા રૂપાવટી, નાજબાપુ વાળા સિમાસી, પ્રતાપબાપુ (ભગત) થાન, દિપકભાઈ કાઠી અમદાવાદ, પ્રતાપભાઈ ખાચર (પાર્ટી) પાળીયાદ, ભાભલુભાઈ (ભાભા) અળવ, બાબભાઈ ખુમાણ ચાંવડ, બટુકભાઈ જેબલીયા કાલાવડ (હાલ ચાંવડ), પ્રતાપભાઈ બસીયા ગળથ, બોટાદ કાઠી ક્ષત્રીય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા બોટાદ, વજુભાઈ વાળા (દડવા), જસકુભાઈ ડાંગર જૂનાગઢ, ઉમેદભાઈ બસીયા બાબરા, રવુભાઈ બસીયા ઉમરાળી, કષ્નકુમાર મકવાણા મેંદરડા, હાથીભાઈ ચીરોડા, જયરાજભાઈ ધાધલ પીપળીયા, ઘુઘાભાઈ કોટડા, સૂર્યસેનાના હરેશભાઈ ખાચર, હરેશભાઈ કામળીયા, ધીરૂભાઈ બસીયા કાઠમા, અનકભાઈ ખુમાણ પરબ વાવડી, ખોડુભાઈ લાલુ, અજયભાઈ વડ, પીઠુભાઈ ખાચર બોટાદ, ગૌતમભાઈ (લાલભાઈ) વાળા દડવા, ગુજરાતભરના કાઠી રાજપૂત તથા હાટી દરબાર તથા ગરાસીયા રાજપુતની બહોળી સંખ્યામાં કાર્યક્રમ સંપન્ન થયેલ ત્યાર બાદ ભોજન સમારંભ ત્યાર બાદ રૂપાવટીથી પરબધામ સુધી રેલી યોજી પ.પૂ. કરશનદાસબાપુના આશિર્વાદ મેળવ્યા હતા. આવતા દિવસોમાં સમગ્ર ભારત વર્ષમાં સમસ્ત ક્ષત્રીય રાજપુત સમાજ સંગઠીત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

(10:48 am IST)