ઋષી વંશી-વાળંદ સમાજનો રાજકોટ ખાતે યોજાયેલ નિઃશુલ્ક યુવા પસંદગી મેળો
ભાવનગર તા ૨૮ : ઋષી વંશી સમાજ સેવા સંઘ દ્વારા રાજકોટના અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ હોલ ખાતે તા. ૨૬/૫ શનિવાર ના રોજ ઋષીવંશી-વાણંદ સમાજનો નિઃશુલ્ક જીવનસાથી પરીચય માટે પસંદગી સમારોહ યોજાયેલ જેમાં ૧૦૦૦ થી વધુ યુવક યુવતીઓ એ ભાગ લેતાં કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયેલ આ પ્રસંગે વેબસાઇટ લોંગકરાઇ હતી જેમાં ગમે ત્યારે યુવક-યુવતી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ વેબસાઇટ પર નિઃશુલ્ક છે. સફળ કર્યાક્રમમાં ઋષીવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના પ્રમુખ શ્રી હેંમરાજભાઇ પાડલીયા તેમજ મુંબઇ, સુરત, અમોવા, રાજકોટ, ભાવનગર,વડોદરા, સહિત સમગ્ર ગુજરાતમાં ઋષીવંશ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસિથત રહ્યા હતા અને સફળ આયોજન બદલ ભામાસા હેમરાજભાઇ પાડલીયા તથા યુવા સેનાના સુત્રધાર રતીભાઇ સુરાણી અને તેની ટીમ ને અભિનંદન પાઠવેલા કાર્યક્રમમાં હોલ ટુંકો પડતો હતો અને હોલ ભરચક થઇ જતા લોકો દાદરમાં અને જયાં જગ્યા મળે ત્યાં બેઠા હતા અને સુંદર કાર્યક્રમ યોજાયો હતો.