News of Saturday, 28th March 2020
જસદણના સાણથલીમાં હવન કરતી વખતે મહંત સંદીપનાથ દાઝયા
રાજકોટ તા. ર૮: જસદણના સાણથલીમાં મંદિરમાં હવન કરતી વખતે દાઝી જતા મહંતને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી વિગત મુજબ સાણથલીમાં રહેતા મહંત સંદીપનાથ કેશવનાથ મહાત્મા (ઉ.વ. ૪પ) ગઇકાલે ગામમાં આવેલ ખોડીયાર મંદિરમાં હવન કરતા હતા ત્યારે અચાનક ભડકો થતા પહેરેલ કપડાને જાળ લાગતા તે દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
(2:37 pm IST)