News of Sunday, 28th February 2021
મહુવામાં સાવરકુંડલા રોડ પરના ભંગારના ડેલામાં આગ ભભૂકી : બાજુમાં અન્ય ગોડાઉનમાં પણ પ્રસરી
ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી :સદનસીબે જાનહાનિ થઈ નથી
ભાવનગર જિલ્લાના મહુવામાં સાવરકુંડલા રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાં આગ લાગી હતી. ભંગારના ડેલામાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વિકરાળ બનેલી આગ બાજુમાં આવેલા અન્ય એક ગોડાઉનમાં પણ પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ થઈ નથી.
(9:32 pm IST)