જૂનાગઢ દુષ્કર્મ પ્રકરણની તપાસનો ધમધમાટ : વડીયા અને ગોંડલમાં જૂનાગઢ પોલીસના ધામા
વડિયા તા. ૨૮ : વડીયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદસ્વામી અને ગોંડલના શ્યામસુંદર સ્વામી પર જૂનાગઢ સીડીવીજન પોલીસ મથક ખાતે એક મહિલાએ ફરિયાદ આપેલ છે કે વાડિયા સ્વામિનારાયણ મંદિરના આનંદસ્વામીએ મારા ઉપર દુષ્કર્મ કરેલ છે અને છરી પણ બતાવેલ છે. આ સાથે મદદગારીમા ગોંડલના શ્યામસુંદર સ્વામી પણ સાથે હતા.
આ દુષ્કર્મની તપાસ અને બન્ને આરોપીઓને ધડપકડ કરવા માટે જૂનાગઢ સી-ડિવિઝનના પીએસઆઇ પી.બી.લકકડ અને તેમની ટીમ ગોંડલ ખાતે શ્યામસુંદર સ્વામીની ધડપકડ કરવા માટે ગયેલ અને બાદમાં વડીયા સ્વામિનારાયણ મંદિર ખાતે જૂનાગઢ પોલીસ આનંદ સ્વામી કયા છે ની તેવી તપાસ અને તજવીજ કરેલ પરંતુ બંને આરોપી સુધી પોલીસ પકડની બહાર છે.
જયારે આ અંગે જૂનાગઢ પીએસઆઇ પી.બી.લકકડ ને પૂછતાં તેમને જણાવેલ કે હાલમાં તો બન્ને આરોપીઓ ફરાર છે અમો તેની શોધખોળમાં ગોંડલ અને વડીયા સ્વામિનારાયણ મંદિર ખાતે ગયેલ પરંતુ માહિતી કે આરોપી મળેલ નથી હાલ તપાસ શરૂ છે.(૨૧.૧૪)