સાવરકુંડલા ખાતે એસ એમ જી કે શૈક્ષણિક સંકુલ ખાતે ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
સાવરકુંડલા : ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની સાવરકુંડલા ખાતે એસ એમ જી કે શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટ ના ટ્રસ્ટી મનીષભાઈ માગરોળિયા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવા માં આવેલ હતું અને સ્કૂલ ના વિદ્યાર્થી ઓ દ્વારા સરસ મજાની કુતી ઓ રજૂ કરેલ તે નિહાળી હજાર મહાનુભાવો ખુશ થયેલ હતા આ -સંગે મનીષભાઈ માગરોળિયા પોતાના -વચન માં જણાવેલ હતું કે આજ ના દિવસે આપણે સ્વંત્રતા મળી હતી વિદ્યાર્થી ઓ ને શીખ આપતા કહેલ કે આ યુગ માં ભણતર અને ઘડતર બને ની ખૂબ જરૂર છે જે આ એસ એમ જી કે સંકુલ ના વિદ્યાર્થી ઓ માં મને જોવા મળે છે . એસ એમ જી કે સંકુલ ખાતે જેમના હાથે ધ્વજવંદન કરવા માં આવેલ તેવા મનીષભાઈ માગરોળિયા નું ફૂલ હર અને શાલ ઉઘાડી સન્માન કરેલ હતું તેમજ સન્માન પાત્ર આપી ને પણ સન્માન કરેલ હતું તેમજ દેવચનભાઈ કપોપરા નું પણ સન્માન પાત્ર આપી ને સન્માન કરવા માં આવેલ હતું સાવરકુંડલા લાયન્સ કલબના પ્રમુખ કરશનભાઈ ડોબરિયાનું સાફો બાંધી સન્માન કરેલ હતું. ડોક્ટર ચિરાગનું પણ સાફો બાંધી સન્માન કરેલ હતું તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવાનું ફૂલ પુષ્પ થી સન્માન કરવામાં આવેલ હતું. આ તકે દીપકભાઈ ગઢિયા, કલ્પેશ ઠુમ્મર, દીપકભાઈ બોધરા, મેહુલભાઈ સધાણી, દિવ્યેશભાઈ સંધાણી, સુરેશભાઈ ગજેરા, અતુલભાઈ જ્યાંણી, ઘનશ્યામભાઈ રાદડિયા, એસ એમ જી કે શીક્ષણિક સંકુલના ટ્રસ્ટી અશરફભાઈ કાસમાણી, કેમ્પસ ડિરેક્ટર ઇબ્રાહિમભાઈ કુરેશી મુફ્તી અકબર, સાવરકુંડલા પત્રકાર એસોસિએશનના પ્રમુખ ઈકબાલ ગોરી, વી ટી વીના રિપોર્ટર દિલીપ જીરૂકા, સંધિ જમાતના પ્રમુખ અલીભાઈ સંધિ સુન્ની મુસ્લિમ જમાત ના પૂર્વ પ્રમુખ ઈરફાનભાઈ કુરેશી મુસ્તાકભાઈ જાદવ પિન્ટુભાઈ મલેક મુસ્તાકભાઈ માસ્તર વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનું આયોજન નાસરબાપુએ કરેલ હતું.(તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગોરી સાવરકુંડલા)