સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th January 2023

જામનગરના નિરવ વિઠલાણીએ જી-સેટની પરીક્ષામાં લહેરાવ્‍યો જીતનો પરચમ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૮ : ૬ નવેમ્‍બર ૨૦૨૨ ના રોજ ગુજરાત સ્‍ટેટ એલિજિબિલિટી ટેસ્‍ટ (ગુજરાત સેટ)ની પરીક્ષા લેવામાં આવેલ. જે પરીક્ષામાં ૩૦૦૭૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. જેમાંથી ૨૧૭૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. પરીક્ષાનું પરિણામ ૭.૨૪ ટકા રહ્યું છે.

 જેમાં નિરવ વિઠલાણીએ સફળતા મેળવી લોહાણા સમાજ, વિઠલાણી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. સમાજના અનેક આગેવાનો દ્વારા નિરવ તેમજ તેમના પરિવારને શુભેચ્‍છાઓ પાઠવી રહ્યાં છે. 

(11:13 am IST)