સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

ભાવનગરમાં કોરોનાથી ત્રણના મોત : નવા ૨૦૮ પોઝીટીવ કેસ નોંધાયા: ૪૦૨ દર્દીઓ કોરોનામુક્ત થયા

ભાવનગરમાં એક્ટીવ કેસ ૨૨૫૧ રહ્યા:વધુ ત્રણ દર્દીઓના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૩૧૭ થયો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં કોરોનાની ત્રીજી લહેરમાં આજે ત્રણ પોઝીટીવ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે આજે ૨૦૮ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે ૪૩૭ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

આજે ભાવનગર શહેરમાં કોરોના પોઝીટીવ બે દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે ૧૩૧ પુરૂષો અને ૫૪ મહિલાઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને ૪૦૨ દર્દીઓ કોરોનામુક્ત થયા છે. 
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી એક કોરોના પોઝીટીવ દર્દીનું મોત નિપજ્યું છે જ્યારે ૨૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમજ ૩૫ દર્દીઓ કોરોનામુક્ત થયા છે. 
ભાવનગરમાં એક્ટીવ કેસ ૨૨૫૧  રહ્યા છે. જ્યારે આજે ત્રણ દર્દીઓના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૩૧૭ થયો છે.
ભાવનગરમાં કોરોનાથી મૃત્યુનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

(8:37 pm IST)