સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th January 2022

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા ૫૧ કેસની સામે ૧૦૮ લોકો સાજા થયા

કોરોના હાંફી જતા લોકોમાં રાહત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૮ :. જૂનાગઢ જિલ્લામાં ગુરૂવારે કોરોનાના નવા માત્ર ૫૧ કેસ નોંધાયા હતા. જેમા ૨૪ કલાકમાં નવા કેસ નોંધાયા એના કરતા બમણા દર્દી સાજા થયા હતા.

ગઈકાલે જૂનાગઢ સીટીમાં ૧૫ તથા જૂનાગઢ-કેશોદ તાલુકામાં સાત-સાત, વંથલી-વિસાવદરમાં છ-છ, માણાવદર-પાંચ, ભેંસાણ તથા માંગરોળમાં બે-બે મળી કુલ ૫૧ નવા કેસની એન્ટ્રી થઈ હતી.

જો કે રાહતની વાત એ રહી હતી કે નવા કેસ કરતા બમણા ૧૦૮ દર્દી સાજા થયા હતા. જેમાં જૂનાગઢ સીટીના ૭૦, કેશોદ-૧૧, વિસાવદર-૧૨, માણાવદર ૮ અને જૂનાગઢ ગ્રામ્યના ૭ મળી કુલ ૧૦૮ દર્દીએ કોરોનાને હરાવ્યો હતો.

(12:48 pm IST)