લોધીકાના પાળ પાસે ગૌશાળા પાસે કુવામાં ઝંપલાવી દયા ડામોરનો આપઘાત
માનસીક બીમારીથી કંટાળી સગીરાએ પગલુ ભર્યાનું ખૂલ્યું
રાજકોટ, તા.ર૮ : લોધીકાના પાળ રોડ પર આવેલી ક્રિષ્ણા ગૌશાળા પાસે આવેલા કુવામાં ઝંપલાવી રાજસ્થાનની સગીરાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ પાળ રોડ પર આવેલ ક્રિષ્ણા ગૌશાળામાં રહેતા ગણેશભાઇ ડામોરની ૧પ વર્ષની દીકરી દયા રાત્રે ગૌશાળા પાસે આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. દયા ઘરમાં જોવા ન મળતા તેનાભાઇ તથા માતાપિતાએ આસપાસ તપાસ કરતા દયા કુવામાં પડી ગઇ હોવાની ખર પડતા તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરતા મવડી ફાયર સ્ટેશનના સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી દયાને કુવામાંથી બહાર કાઢી હતી અનેતેને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવની જાણ કરતા લોધીકા પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇએ તપાસ હાથ ધરી હતી. મૃતક દયા બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતી તેને ઘણા સમયથી માનસીક બીમારી હોઇ તેથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.