સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th January 2020

વંથલીના બંટીયાના માનસિક અસ્થિર યુવાનનું કુવામાં પડી જતા મોત

બડોદરના યુવકનો બિમારીથી કંટાળી ગળાફાંસો

જુનાગઢ તા.ર૮ : વંથલીના બંટીયાના માનસિક અસ્થિર યુવાનું કુવામાં પડી જતા મોત થયું હોવાનું જાણવા મળેલ છે.

વંથલી તાલુકાના બંટીયા ગામે રહેતો ભુપતભાઇ પાંચાભાઇ ગરેજા (ઉ.વ.ર૭) નામનો યુવાન છેલ્લા છ માસથી માનસિક અસ્થિર  હતો જેની દવા સારવાર પણ ચાલુ હતુ.

દરમિયાનમાં ગત રાત્રે ગામની સીમમાં આવેલ એક કુવામાં પોતાની મેળે પડી જતા પાણીમાં ડુબી જતા મૃત્યુ પામ્યો હતો.

આ અંગેની જાણ થાં વંથલીના હેડ કોન્સ્ટેબલ ડી.એમ.બેરીયા દોડી ગયા છતા અને લાશને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.

કેશોદના બડોદરનાં પુનાભાઇ રામભાઇ ડાંગર (ઉ.વ.રપ)એ બિમારીથી કંટાળીને ગળાફાંસો ખાય લેતા અરેરાટી મચી ગઇ હતી.

(3:33 pm IST)