'રાષ્ટ્ર વંદના મંચ -બાબરા' દ્વારા પ્રજાસત્તાક પર્વની તિરંગા યાત્રા સાથે ઉજવણી
બાબરા(મનોજ કનૈયા): વીર સાવરકરજી અને ભગતસિંહ જેવા ક્રાંતિવીરોના આદર્શો પર કાર્યરત એવા બાબરા ના 'રાષ્ટ્ર વંદના મંચ' દ્વારા આજે ત્રીવીધ રીતે ઉજવવામાં આવ્યો.સરકારી કમળશી હાઇસ્કુલ થી શિવાજી ચોક, ડો.આંબેડકર, દયારામ બાપુ અનેઙ્ગ સરદાર સર્કલ સુધી બાઈક રેલીનું આયોજન કર્યું, જેમા મહાનુભાવોની પ્રતીમાને ફુલહાર વિધી કરવામા આવી હતી.જેમા યુવા અગ્રણી દર્શનભાઇ,મૌલીકભાઇ મારૂ,કેવલ ભાઈ,પૃથ્વીરાજ ચૌહાણ,ઉમેશ રાઠોડ,હાદીક ધોળકીયા ઉપસ્થિત હતા. દેશભકિત ગીતોથી સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યું.બાબરા અને આજુબાજુના ગામડા ના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા જેમા આઙ્ગ કાર્યક્રમને સફળ બનાવવા દેશભકત આશિષભાઇ હરીયાણી તથા રાજનભાઇ ગમારાએ કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી.