જુનાગઢ જંગલમાં ચંદન ચોર શખ્સોનો તરખાટ : કર્મચારી પર હુમલો કરી ફરાર
વન વિભાગે ચંદનનાં લાકડા અને સાધનો કબ્જે કર્યા
જુનાગઢ, તા. ર૭: જુનાગઢનાં જંગલમાં આજે વહેલી સવારે ચંદનખોર શખ્સો તરખાટ મચાવી અને કર્મચારી પર હુમલો કરી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળે છે.
આ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો એવી છે કે, જુનાગઢનાં દક્ષિણ રેન્જમાં દાતારનાં જંગલનાં વિછુડા વિસ્તારમાં અને વહેલી સવારે વિભાગની ટીમ પેટ્રોલીંગમાં હતી.
ત્યારે જ શંકાસ્પદ શખ્સો વન વિભાગનાં કાફલાને જોઇને નાસવા લાગ્યા હતા. પરંતુ વન વિભાગની ટીમે પીછો કરતા આ શખ્સો તેની પાસેના ૪ થેલા ફેંકીને નાસી ગયા હતા.
થેલાની તલાશી લેતા તેમાંથી કટીંગ થયેલા ચંદનના લાકડા અને લાકડા કાપવા માટેની કરવત, કુહાડી વગેરે મળી આવતા વન વિભાગે કબજે કરેલ.
આમ દાતારનાં જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય થઇ હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે. વન વિભાગે ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.