ધોરાજી નજીક ભાદર-ર ના પુલ પરથી બાઇક નદીમાં પડતા ખેડૂતનું મોત
ધોરાજી તા. ર૭ :.. નજીકમાં આવેલ જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામના ખેડૂત રમેશભાઇ જીણાભાઇ વાછાણી (ઉ.૪૮) અને તેમના ધર્મપત્ની ધોરાજી ખાનગી હોસ્પીટલમાં બીમારી અંગે દવા લઇ ખજુરડા પરત જતા હતા અને ચાલુ બાઇકે એકાએક ચકકર આવતા બાઇક ભાદર પુલ સાથે અથડાતા બાઇક ચાલક ખેડૂત ભાદર નદીમાં પડતા ડૂબી ગયેલ આ અંગેની જાણ ધોરાજી પોલીસને કરતા બીટ જમાદાર હિતેશભાઇ ગેરજા ૧૦૮ અને સેવાભાવી યુવાનો દ્વારા શોધખોળ કરાતા અંતે લાશ ન મળતા બીજા દિવસે ગોંડલના સેવાભાવી ફાયરના યુવાનો એ લાશને બીજા દિવસે ઉડાપાણીમાંથી બહાર કાઢેલ અને પી. એમ. અર્થે ધોરાજી હોસ્પીટલ ખાતે પી. એમ. કરેલ હતું.
ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને પરીવારમાં પોતે એકલા હતા અને ર પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ખજુરડા ગામમાં શોકની લાગણી ફેલાયેલ છે.