ભાવનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા : ૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૭ : શહેરના દેસાઇનગર વિસ્તારમાં આવેલ શિવ રેસીડેન્સીના ફલેટ નં. ૨૦૧માં રહેતા હિરેનભાઇ ગણપતભાઇ ભટ્ટના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ કબાટના તાળા તોડી રોકડ તથા દાગીના મળી રૂ. ૪૭૦૦૦ તેમજ બાજુમાં આવેલ છત્રપાલસિંહ વિક્રમસિંહ પરમારના બંધ ફલેટના પણ તાળા તોડી કબાટમાંથી રોકડા રૂ. ૮૫૦૦૦ મળી બંનેના કુલ ૧,૩૨,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી છૂટયા હતા. આ અંગે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પી.આઇ. રાવલ ચલાવી રહ્યા છે.
યુવાનનો આપઘાત
માલણકા ગામે રહેતા ઘનશ્યામભાઇ ભોળાભાઇ બારૈયા (ઉ.વ.૩૮) નામના યુવાને માનસિક બિમારીથી કંટાળી જઇ પોતાની વાડીએ જઇ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.