ખંભાળીયામાં માનસીક બીમારીથી કંટાળી વૃદ્ધા જયોત્સનાબેનનો અસીડ પી આપઘાત
રાજકોટ તા. ર૭ : ખંભાળીયામાં માનસીક બીમારીથી કંટાળી વૃદ્ધાએ એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ માળીયાહાટીનાના ખંભાળીયા ગામમાં રહેતા જયોત્સનાબેન સવજીભાઇ કોરીયા (ઉ.૬૦) એ ગઇકાલે પોતાના ઘરે બાથરૂમમાં એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક જયોત્સનાબેનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તેણે માનસીક બીમારીના લિધે આ પગલુ ભર્યુ હોવાનું તેના પુત્રએ જણાવ્યું હતું આ અંગે ખંભાળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામકંડોરણામાં યુવાને એસીડ પી લેતા દાખલ
જામકંડોરણાના ઇન્દીરાનગરમાં રહેતા રાહુલ જગદીશભાઇ વાઘેલા (ઉ.ર૦) એ ગઇકાલે એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે.