સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

મોરબી : 'આપ'ના સ્થાપના દિનની ઉજવણી

મોરબીઃ  ભારત દેશના મહાન સંવિધાનના સ્થાપના દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની આમ આદમી પાર્ટી મોરબી દ્વારા કોરોના મહામારીના કારણે સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી તેમજ ૨૬/૧૧ ના આંતકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી.દેશના મહાન સંવિધાનનું આમુખનું વાંચન કરી સંવિધાનને હંમેશા સન્માન આપી તેનો અમલ કરવાની પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી તે ઉપરાંત ૨૬/૧૧ ના મુંબઈ હુમલામાં શહીદ થયેલ ભારતિય જવાનોને શ્રદ્ઘાંજલિ આપી અને પાર્ટીના સ્થાપના દિવસની સાદગીપૂર્વક આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ એ.કે.પટેલ અને મોરબી શહેર પ્રમુખ મહેશ રાજયગુરૂની આગેવાનીમાં ઉજવણી કરવામાં આવી હતી. તે તસ્વીર. (તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ -મોરબી)

(9:44 am IST)