સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 11 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, વિસાવદરમાં 5 કેસ, માણાવદરમાં 4 કેસ, કેશોદ,માળીયા અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 24 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 11 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, વિસાવદરમાં 5 કેસ, માણાવદરમાં 4 કેસ, કેશોદ,માળીયા અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો છે

(8:41 pm IST)