સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th October 2020

ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા મિઠાઇ ફરસાણનું વિતરણ

 ધોરાજી : બિનવારસદાર મૃતદેહને અગ્નિ સંસ્કાર જૂદા જૂદા મેડીકલ કેમ્પો, દેહદાન, ચક્ષુદાન સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરાય છે અને છેલ્લા ૧૧ વર્ષથી માનવસેવા યુવક મંડળ દ્વારા દશેરાના તહેવાર નિમિતે ગરીબો, વિધવા બહેનો, અનાથ બાળકો, વૃધ્ધો અને મોટીમારડ વૃધ્ધાશ્રમ અને વડાલ ખાતે આવેલ વડીલ વંદના વૃધ્ધાશ્રમ સહિતના સંસ્થાઓમાં માનવસેવા યુવક મંડળ દ્વારા ઘરે ઘરે જરૂરિયાતમંદ પરિવારોને ૧ કિલો મિઠાઇ પ૦૦ ગ્રામ ગાઠીયાનું વિતરણ કરેલ હતુ. આ સેવાકીય કાર્યમાં માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી, ડો.સી.વી.બાલઘા, રાજુભાઇ ઘેલાણી, અશોકભાઇ રાખોલીયા, રંજનબેન પ્રવિણભાઇ ડોકટર સહિતનાઓએ સેવાકાર્યમાં જોડાયા હતા અને માનવસેવાની સેવાકીય પ્રવૃતિઓને વડીલ વંદના વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીઓએ બિરદાવી હતી.

(11:58 am IST)