સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th September 2022

ગોંડલમાં આસો નવરાત્રિના પ્રથમ નોરતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે નવદુર્ગા નું અવતરણ:

ગોંડલ: શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આસો નવરાત્રીના પ્રથમ નોરતે હોસ્પિટલમાં જે નવા બિલ્ડીંગમાં સ્ત્રીઓ તથા બાળકોનો વિભાગ હાલ કાર્યરત કરાયો હોય જટિલ ઓપરેશનને પાર પાડનાર ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા આસો નવરાત્રી ના પ્રથમ નોરતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે 11 ડીલેવરીઓ કરાવવામાં આવી હતી જે માં 2 દીકરાઓ અને 9 દીકરીઓ હતી આસો નવરાત્રી ના પ્રથમ નોરતે જાણે એવું લાગતું હોય કે હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગા નું અવતરણ થયું હોય તેઓ માહોલ સર્જાયો હતો.  ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત રામ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી તેમજ નોર્મલ ડિલિવરીઓ કરાવવામાં આવે છે જે યોજના અંતર્ગત દર્દીને કોઈપણ જાતની ખર્ચ વગર જ પોતાની સારવાર સારી ગુણવત્તા સહિત મળી રહે છે.

(11:38 pm IST)