News of Tuesday, 27th September 2022
વિસાવદરના હસ્નાપુરમાં ખેતીવાડીમાં વીજ
પુરવઠો નહીં મળતા ચૂંટણી બહિષ્કારની ચિમકી
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૭:વિસાવદરના ગીર સેટલમેન્ટના હસ્નાપુર ગામમા અનેકવિધ સમસ્યાઓથી ગ્રામજનો ત્રસ્ત છે.
હસ્નાપુર ગામમા ખેતીવાડીમા વીજ કનેક્શન આપવામા વનવિભાગ અંતરાયરૂપ બનતુ હોય,અગાઉ વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવવામા આવ્યો હોવા છતા હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા ખેતીવાડીમા વીજ પુરવઠો ન મળે તો ગ્રામજનોએ આગામી વિધાનસભાની ચૂંટણી બહિષ્કારની ચિમકી આપતા વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો ચોકન્ના બન્યા છે.આ અંગે સત્તાવાળાઓને પણ લેખિત જાણ કરાઇ હોવાનુ જાણવા મળે છે.
(4:50 pm IST)