સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th August 2019

વંથલી નગર પાલીકા પુર્વ પ્રમુખ તથા જાણીતા વકીલ દિપક વડારીયા ખુન કેસના આરોપીનેગણતરી કલાકોમાં વીરાર ( મુંબઇ ) ખાતેથી પકડી પાડતી

જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ : ગત તા.૨૩/૦૮૨૦૧૯ ના રોજ વંથલી નગર પાલીકાના પૂર્વ પ્રમુખ તથા વંથલીના આગેવાન તથા જાણીતા વકીલ શ્રી દિપકભાઇ ઉર્ફે હિતેષ વડારીયા પટેલ રહે. વંથલી વાળાને ભુપત નાગજીભાઇ સુત્રેજા તથા તેની સાથેના બે અજાણ્યા ઇસમોએ જમીનના ડખ્ખા બાબતે વંથલી માણાવદર રોડ ઉપર કાળવા નદીના પુલ આગળ આંતરીને આડેધડ છરીના ઘા મારી મોત નીપજાવેલ હોય. આ કામે ગુન્હા રજી. નં.ફ.૯૧/૧૯ આઇ.પી.કો.ક.૩૦૨, ૧૨૦(બી), ૩૪ તથાજી.પી.એકટ ક.૧૩૫ મુજબનો ગુન્હો તા.૨૩/૦૮/૧૯ ના રોજ વંથલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે.

આ કામે મરણ જનાર દિપકભાઇ ઉર્ફે હિતેષભાઇ વડારીયા રહે. વંથલીવાળા સામાજીક આગેવાન તથા જાણીતા વકીલશ્રી તથા વંથલી નગર પાલીકાના પૂર્વ પ્રમુખ હતા. જેથી સદરહું બનાવ સમગ્ર ગુજરાત રાજયમાં ખુબ જ ચકચાર પામતાં આ કામે જૂનાગઢ રેન્જના વડા શ્રી એસ.જી.ત્રિવેદી સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ સાહેબએ બનાવની ગંભીરતા ધ્યાને લઇ વંથલી પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સંડોવાયેલ આરોપીઓને વ્હેલામાં વ્હેલી તકે પકડી પાડવા સારૂં ચક્રો ગતિમાન કરેલ. અને જિલ્લા પોલીસ વડાશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બનાવ સ્થળ વિસ્તારની આજુ-બાજુમાં આવેલ તમામ સી.સી.ટી.વી. ફુટેજોનું ખુબ જ જીણવટભરી રીતે અવલોકન કરવામાં આવેલ અને ટેકનીકલ સેલના માધ્યમથી સંડોવાયેલ આરોપીઓને દબોચી લેવાની કાર્યવાહી ચાલુ હતી. તે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ.શ્રી આર.કે.ગોહિલ તથા પો.કોન્સ. સાહિલ સમાતથા ડાયાભાઇ કરમટા તથા યશપાલસિંહ જાડેજાને ખાનગી રાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢનો ભરતઉર્ફે ભટીયો શાંતીલાલ ભોંય પણ આ ગુન્હામાં સંડોવાયેલ છે. જે પોતાની ફોકસ વેગન કંપનીની પોલો કાર રજી નં.જીજે-૦૧-કે.એસ-૯૪૩૧ ની લઇ બનાવની રાતે જ પોતાના પરીવાર સાથે મહારાષ્ટ્ર રાજયના વીરાર (મુંબઇ) તરફ ફરારથઇ ગયેલ છે. જે વીરારમાં નારંગી ગણપતી મંદિર પાછળના વિસ્તારમાં છુપાયેલ હોવાની હકિકત મળતાં ક્રાઇમ બ્રાન્ચનાઇચા.પો.ઇન્સ.શ્રીઆર.કે.ગોહિલને ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફ સાહિલ સમા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહજાડેજા સાથે તાત્કાલીક મજકુર આરોપીને ઝડપી લેવા સારૂં હકિકતવાળી જગ્યાએ રવાના મોકલતા હકિકતવાળાવિસ્તારમાં તપાસ કરતાં મજકુર ઇસમ ભરત ઉર્ફે ભટીયો શાંતીલાલ રહે. જૂનાગઢ વાળો મહારાષ્ટ્ર રાજયના વીરાર(મુંબઇ) ગામ નારંગી ગણપતી મંદીરના પાછળ જય ભવાની એપાર્ટમેન્ટ પાસેથી તેનાં સાળા નીલેશ ગોપાલભાઇ તથાઉપરોકત ફોર વ્હીલ કાર સાથે મળી આવતાં જેને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પુછપરછ કરતાં સદરહું ગુન્હોકરેલાની હકિકત જણાવતા મજકુર ઇસમને વંથલી પો.સ્ટે.માં સોંપી આપતાં તા.૨૬/૦૮/૧૯ ના રોજ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

કાવત્રામાં સામેલ વ્યક્તિઓ :-

૧) ભુપત નાગજીભાઇ સુત્રેજા મેર રહે. જુનાગઢ વણજારી ચોક,

૨) ભરત ઉર્ફે ભટીયો શાંતીલાલ ચુડાસમાં ભોય ઉવ.૨૭ રહે.જુનાગઢ (૫કડાયેલ)

3) કમલ મહેશભાઇ મહેતા રહે. જુનાગઢ રાણાવાવ ચોક,

(7:03 pm IST)