ઉપલેટાના ક્રિષ્ના ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રા
હાથી, ઘોડા, શણગારેલા રથ, તાલાળાનું ધમાલ નૃત્ય સહીતના ફલોટો
ઉપલેટા તા.રપઃ આગામી તા.૩ સોમવારના રોજ શ્રી કૃષ્ણના જન્મને વધાવવા સેવાભાવી ક્રિષ્ના ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
શોભાયાત્રા સવારે ૮ વાગ્યે અહિંની આદર્શ સોસાયટીમાં આવેલ ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી ધાર્મિક તેમજ સામાજીક અને દેશભકિતના ફલોટો સાથે પ્રસ્થાન કરશે.
આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, બાપુના બાવલા ચોક, ગાંધી ચોક, જીકરીયા ચોક, સોની બજાર, દરબારગઢ ચોક, નાગનાથ ચોક થઇ સોમનાથ મંદિરે પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકાના ભાઇ બહેનો યુવાનો બાળકો તેમજ વિવિધ સામાજીક સેવાકીય અને ધાર્મિક સંસ્થાના આગેવાનોને જોડાવા ક્રિષ્ના ગ્રુપના આયોજકો જાહેર આમંત્રણ પાઠવેલ છે. શોભાયાત્રાની વધુ માહીતી મેળવવા માટે ક્રિષ્ના ગ્રુપ કાર્યાલય, સ્વ.ગોવિંદભાઇ પી. સુવા માર્ગ, પોલીસ લાઇન પાછળ, ઉપલેટા મો. ૮૩૪૭૪ ૭૪૭૮૩, ૯૯૦૪૪ ૮૦૯૯૯, ૯૭૧૪૧ ૧૧૧૮૦ સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે. (૧૧.૬)