સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

દુરદર્શન રાજકોટ કેન્દ્ર હેઠળના લઘુ શકિત કેન્દ્રો ધ્રાંગધ્રા અને પોરબંદરની ક્ષેત્રીય સેવાઓ ૩૧ મીથી બંધ

 

રાજકોટ તા. ૨૭ : પ્રસાર ભારતી બોર્ડ તથા દુરદર્શન મહાનિર્દેશાલય, નવી દિલ્હીના આદેશાનુસાર દુરદર્શન કેન્દ્ર રાજકોટ હેઠળ આવતા લઘુ શકિત પ્રસારણ કેન્દ્ર (એલ.પી.ટી.) પરથી પ્રસારીત થનાર દુરદર્શનની ટેરેસ્ટ્રીયલ પ્રસારણ સેવાઓ (ક્ષેત્રિય સેવાઓ) તા. ૩૧ ઓગષ્ટ ૨૦૨૧ ની મધ્યરાત્રીના ૧૨ કલાકથી બંધ કરવામાં આવી રહી છે.જેમાં દુરદર્શન રીલે કેન્દ્ર ૧. દુરદર્શન લઘુ શકિત કેન્દ્ર ધ્રાંગધ્રા, ચેનલ નં. ૩૦(+), ફ્રીકવન્સી ૫૪૩.૨૫ મેગા ર્હાટઝની ક્ષેત્રીય સેવા તેમજ ૨. દુરદર્શન લઘુ શકિત કેન્દ્ર પોરબંદર ચેનલ નં. ૮(+) ફ્રીકવન્સી ૧૯૬.૨૫ મેગા હર્ટઝની ક્ષેત્રીય સેવાઓ બંધ કરાશે. તેમ સહાયક નિર્દેશક (ઇ) તથા કાર્યાલય અધ્યક્ષ અનિલા ચૌધરીની યાદીમાં જણાવાયુ છે.

(11:55 am IST)