સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 33 કેસ પોઝિટિવ ; વધુ 2 લોકોના મોત

શહેરમાં 19 કેસ અને ગ્રામ્યમાં 14 કેસ : કુલ કેસનો આંક 1237 થયો : મૃત્યુઆંક 25

ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે  નવા 33 કેસ પોઝિટિવ નોંધાયા છે જયારે  વધુ 2 લોકોના મોત થયા છે આજે શહેરમાં 19 કેસ અને ગ્રામ્યમાં 14 કેસ નોંધાયા છે એમ કુલ 33 કેસ થયા છે આ સાથે  કુલ કેસનો આંક 1237 થયો છે જયારે મૃત્યુઆંક 25 થયો છે

(7:21 pm IST)