સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th July 2020

જસદણ પંથકમાં આજે કોરોનાએ સેન્ચુરી પુરી કરી:પંથકમાં આજે પણ પાંચ કેસ પોઝીટીવ

આટકોટ ::  જસદણ પંથકમાં આજે પણ કોરોનાના પાંચ કેસ પોઝીટીવ આવતા કોરોનાએ સેન્ચુરી પુરી કરી છે.

જસદણ શહેરમાં આજે વધુ બે કેસ પોઝીટીવ આવ્યા છે જેમાં મેઇન બજારમાં રહેતા જયદીપભાઇ રજનીકાંતભાઇ અંબાણી ઉ.વર્ષ 34,વજીબેન ધીરુભાઈ ઉ.વર્ષ 60 લાતી પ્લોટ, મોહનભાઈ પ્રાગજીભાઇ ઉ.વર્ષ 59 હોસ્પીટલ સામે રે.વિરનગર, વિનુભાઈ લીંબાભાઇ ભુવા ઉ.વર્ષ 50 રે.ગોખલાણા અને ધીરુભાઈ લવાભાઇ પટેલ ઉ.વર્ષ 48 રે.સાણથલી  ને કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

         ગઇ કાલે પણ જસદણ પંથકમાં   5 કોરોના પોઝીટીવ આવ્યા હતા આજે પણ 5 કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે અને લોકમાં ભયનુ લખલખુ પ્રસરી ગયું છે.

 

(2:19 pm IST)