News of Monday, 27th July 2020
જસદણમાં કોરોનાના કેસ વધતા બપોર બાદ વેપાર ધંધા બંધ રખાવવા જરૂરી
જસદણ, તા. ર૭ : જસદણ શહેર અને તાલુકામાં ગઇકાલે કોરોનાને લીધે બે વ્યકિતના મૃત્યુ થયા હતાં જયારે ત્રણ વયકિત કોરોના પોઝીટીવ આવ્યો હતો.
જસદણ કોરોનાને કેસ સતત વધતા જાય છે અને મોતનું પ્રમાણ પણ વધતું જાય છે. ત્યારે જસદણ શહેરમાં તંત્ર દ્વારા બપોર પછી વેપાર ધંધા બંધ રખાવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી બુદ્ધિજીવી લોકોની માંગણી છે.
જસદણમાં કાતિલ કોરોનાએ બેનો ભોગ લીધો હતો. એક જ દિવસમાં પાંચ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું હતું અને લકોો ભયભીત બન્યા હતાં.
એક જ દિવસમાં પાંચ કેસ સાથે બેના મોત થતાં લકોો ફફડી ઉઠયા છે જેથી હવે કોરોનાથી બચવા લોકો વધારે સજાગ બને અને ભય મોજુ પોતાની જવાબદારી સમજીને પાલન કરે તે જ સૌવ કોઇના હીતમાં છે.
(12:58 pm IST)