સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th June 2022

દ્વારકામાં ગુજસીટોકમાં ઝડપાયેલા ૧૧ શખ્‍સોના આજે રિમાન્‍ડ મંગાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૭ :.. દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાંથી ખંડણીઓરો વિચ્‍છુ ગેંગના ૧૧ ની ધરપકડ કાલે કરવામાં આવી હતી. જેમની સામે જિલ્લામાં સૌ પ્રથમ ગુજસીટોકનો કેસ દાખલ કરાયો છે જે બનાવ સંદર્ભે એસ. પી. નીતેશકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હીરેન્‍દ્ર ચૌધરીએ આગળ તપાસ હાથ ધરી છે.

આ ખંડણીખોરોએ અગાઉ કયાં કયાં કાર્યો ગુના કરેલા જેમાં ફરીયાદો ના થઇ હોય તેવાને ફરીયાદી થવા પણ અનુરોધ કરાયો છે. તથા ગુજસીકોટના આ કેસના આધાર પુરાવા હાથ ધરાયા છે. ૧૧ ની ગઇ કાલે અટકાયત થઇ હોય તથા એક જેલમાં હોય આ તમામને ડીવાયએસપી આજે સાંજે મેજીસ્‍ટ્રેટ સમક્ષ રજૂ કરીને રીમાન્‍ડ માંગશે જે પછી આગળ તપાસ હાથ ધરાશે. 

(1:56 pm IST)