ખંભાળિયા : પાલિકામાં વધુ એક ઇન્ચાર્જઃ સવા વર્ષમાં અગિયારમાં ચીફ ઓફિસર હાજર થયા
મેહુલ જોધપુરાએ આવતા જ તંત્રને દોડાવ્યું
ખંભાળિયા તા.૨૭ : પાલિકાના ચીફ ઓફિસર તરીકે દાહોદથી શ્રી વાઘેલાની નિયુકિત થઇ છેપણ આ કાયમી નિમાયેલા ચીફ ઓફિસર ટ્રેનીંગમાં હોય તે ટ્રેનીંગ લંબાતા સવા વર્ષમાં ૧૧માં ચીફ ઓફિસર તરીકે તાજેતરમાં જામજોધપુરમાં ચીફ ઓફિસર તરીકે નિમાયેલા મેહુલ જોધપુરાએ ગઇકાલે ખંભાળિયામાં ઇન્ચાર્જ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
મેહુલ જોધપુરાએ આવતા જ તંત્રને દોડાવ્યુ હતુ તથા સેનીટેશન બાંધકામ પાણી પુરવઠા, ઇલેકટ્રીક એકાઉન્ટ વિ. વિભાગોના વડાઓ સાથે બેઠક લીધી હતી તથા ખંભાળિયા પાલિકા વિસ્તારમાં ધી નદીની પણ મુલાકાત લીધી હતી. જેમની સાથે ઇજનેર એન.આર.નંદાણીયા પણ જોડાયા હતા.
વિદ્યુત સ્મશાન ચાલુ કરવા રસ્તાના કામો અંગે પણ તેમણે જાણકારી મેળવી હતી તથા વૃક્ષારોપણ પર્યાવરણ તથા નિયમીત પાણી પુરવઠા અંગે પણ ચર્ચાઓ કરી હતી.
અગાઉ ભાણવડમાં સી.ઓ. તરીકે ર૦૧૩માં ફરજ બજાવી ગયેલા અને ઇનચાર્જમાં હોવા છતા કડક અને હોશિયાર સી.ઓ. મેહુલ જોધપુરાએ તંત્રને દોડતુ કર્યુ છે.