ભાવનગરના શિશુવિહારમાં નેત્રયજ્ઞઃ
ભાવનગર બાબુલભાઈ પ્રિયવદન વ્હોરાના સૌજન્યથી સ્વ. જયોતિબહેન નલીનકાંત ઓઝાની સ્મુતિમાં ૪૪૦ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ હસમુખભાઈ દામોદરભાઈ સરવૈયાનાં સૌજન્ય થી ૪૪૧ મો નેત્રયજ્ઞ તારીખ.૨૪ જુને શિશુવિહાર યોજાયો હતો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૩૧ દર્દીઓની આંખ તપાસ ડો. શ્રી. મહાજનની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડો. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ ૩૦ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૨૪ સહાય કોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી. નેત્રયજ્ઞ યોજાયો તે તસ્વીર.