સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th June 2020

ભાવનગરમાં જવેલર્સના શો રૂમમાંથી ૧.૮૦ લાખની માલમત્તાની ચોરી

 ભાવનગર, તા. ર૭ : ભાવનગરમાં જવેલર્સના શો રૂમમાં ત્રાટકી તસ્કરો રૂ.૧.૮૦ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં.

મળતી વિગતો મુજબ શહેરના સરદારનગર વિસ્તારમાં શ્રીરામ સોસાયટીમાંં રહેતા હરેશભાઇ ચીમનભાઇ ધ્રાંગધરીયાની માલીકીની વોરા બજાર પંડયા શેરીમાં આવેલ શ્રી જવેર્લ્સ નામની સોના-ચાંદીની દુકાનનું શટર ઉંચકી દુકાનમાં પ્રવેશી તસ્કરોએ રોકડા રૂ. ૩૦ હજાર અને ૬૦ હજારના ચાંદીના દાગીના અને રૂ. ૯૦ હજારની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂ. ૧.૮૦ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે સી-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:10 am IST)