News of Thursday, 27th June 2019
વિન્ડ ફાર્મની વિજ લાઇન ઉપર
શોક લાગતા જામજોધપુરના ચુર ગામે ૩ રાષ્ટ્રીય પક્ષીના મોત
જામજોધપુર તા. ર૭ :.. તાલુકાના ચુર ગામે રેવન્યુ વિસ્તારમાં પંચમુખી મહાદેવની બાજૂમાં વીન્ડ ફાર્મ કંપનીની ઇલેકટ્રીક લાઇન ઉપર વિજ શોક લાગવાથી મોર નર-૧ તથા માદા બે ના મૃત્યુ થયા હતા
આ અંગે વન વિભાગને જાણ થતા વન વિભાગના આર. એફ. ઓ. પરમાર, વિતપાલવદર, એ સ્થળ પર જઇ ધોરણસરની કાર્યવાહી કરી મોરના મૃતદેહનું પી. એમ. વેટરનીટી ડોકટર પાસે કરાવેલ હતું.
આ અંગેની આગળની ધોરણસરની કાર્યવાહી શ્રીમતી આર. બી. પરસાણા નાયબ વનસંરક્ષક જામનગરની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી છે.
(11:29 am IST)