સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th May 2022

વેરાવળ તાલુકાના કાજલી ગામે સોમવારે રામ મંદિર ના જીર્ણોધ્ધાર નિમિત્તે ભવ્ય લોકડાયરો

લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખાવડ અને લોક ગાયીકા ઉર્વશી બેન રાદડિયા રમઝટ બોલાવશે

પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાના કાજલી ગામે જુના રામ મંદિર ની જગ્યા એ ભવ્ય રામ મંદિર નો જીર્ણોધ્ધાર કરવાનુ સમસ્ત કાજલી ગામ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ રામ મંદિર ના જીર્ણોધ્ધાર નિમિત્તે તા 30,5,2022 સોમવારના રોજ સાંજના 9,30 કલાકે કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે લોકડાયરો રાખવામાં આવેલ છે આ લોક ડાયરાના મુખ્ય કલાકારો પ્રસિધ્ધ લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખાવડ અને લોક ગાયીકા ઉર્વશી બેન રાદડિયા તેમજ કાર્યક્રમ ના ઓર્ગેનાઈઝ જાણીતા અષાઢી ગાયક દેવગીરી ગોસ્વામી છે

     આ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ગોવિંદભાઈ પરમાર અને જીલ્લા ભાજપ પ્રમુખ માનસિહ ભાઇ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ છે

    આ લોક ડાયરા મા પધારવા સમસ્ત કાજલી ગામ અને કાજલી ગામ ના સરપંચ મેરગભાઇ બારડ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે

(11:52 pm IST)