News of Friday, 27th May 2022
અકસ્માત ઇજાના કેસમાં અમરેલી લેબર કોર્ટ દ્વારા વળતર ચૂકવવા હુકમ
જુનાગઢ તા.ર૭ : જુનાગઢમાં ૦૮મી મે થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રથમ વર્ષ - સંઘ શિક્ષા વર્ગ આલફા વિદ્યા સંકુલ ખાતે ચાલી રહયો છે. આ વર્ગ ર૦ દિવસનો હોઇ છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ર૮૮ સ્વયં સેવકો પ્રશિક્ષણ મેળવી રહયા છે.
આ વર્ગનો સમાપન સમારોહ તા.ર૮ના રોજ સાંજે ૬ વાગ્યે આલ્ફા વિદ્યાસંકુલ ખાતે રહેશે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સંપર્ક - રામલાલજી અને અતિથી વિશેષ બીપીનભાઇ હદવાણી ઉપસ્થિત રહેશે. જુનાગઢની જનતાએ જાહેર સમાપન સમારોહનો લાભ લેવા વિભાગ પ્રચાર પ્રમુખ કમલભાઇ રાવલ (૯૪ર૮૧ ૮૭૯૯૯)ની યાદીમાં છે.
(1:34 pm IST)