જૂનાગઢમાં ફાયનાન્સ કંપનીનાં ૪ શખ્સોનો યુવાન ઉપર હુમલો
લાકડાનાં બડીયા વડે માર માર્યો
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭: જુનાગઢમાં ફાયનાન્સ કંપનીનાં ૪ શખ્સોએ યુવાન ઉપર હુમલો કરતાં યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જુ઼નાગઢનાં જોશીપરા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય સંજયભાઇ પુંજાભાઇ કોરાટાએ અહિં જોશીપરા સ્થિત ત્રિભુવનદાસ જવેલર્સની ઉપર કોમ્પલેક્ષમાં આવેલ ફાયનાન્સ કંપનીમાંથી ફાયનાન્સ લીધું હતું.
પરંતુ ગઇકાલે ફાયનાન્સની ઓફિસ ખાતે પૈસા પરત કરવા માટે થોડો સમય માંગવા ગયા હતા.
પરંતુ સંજયભાઇની વાત સાંભળવાને બદલે તેમને મહિપત બસીયા, યુવરાજ ગોહિલ પ્રકાશ બસીયા અને હેમલ બ્રાહ્મણે ઢીકાપાટુનો માર મારી અને લાકડાનાં બડીયા વડે હુમલો કર્યો હતો.
આ અંગે સંજય કોરાટાની ફરિયાદનાં આધારે બી ડીવીઝનનાં હેડ કોન્સટેબલ કે. ડી. રાઠોડે આગળની તપાસ હાથ ધરી છે.