સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th May 2019

કુતિયાણાના બાલોંજ ગામે માજી સરપંચ પર દીપડાનો હુમલો :જૂનાગઢ સારવાર માટે ખસેડાયા

નરેશભાઈ વાડીએ કામ કરતા હતા ત્યારે અચાનક દીપડાએ હુમલો કર્યો

પોરબંદરમાં કુતિયાણાના બાલોજ ગામે માજી સરપંચ પર દીપડાના હુમલામાં ઈજાઓ થતા જુનાગઢ રીફર કરવામાં આવ્યા.

   પોરબંદરના કુતિયાણાના બાલોજ ગામના માજી સરપંચ ઉપર દીપડાએ હુમલો કર્યો છે. નરેશભાઈ જોગલ એમની વાડીમાં કામ કરતા હતા. ત્યારે દિપડાએ અચાનક હુમલો કર્યો હતો. આ દીપડાના હુમલામાં નરેશ ભાઈ ને સામાન્ય ઇજા થતા વન વિભાગ દ્વારા ઘાયલની સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વન વિભાગ ઘટના સ્થળે પોહચી હતી. દીપડાને પકડવા રેસ્કયુ કર્યું હતું.

 ઇજાગ્રસ્તને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા ત્યારે ઇજાગ્રસ્ત એ જણાવ્યું હતું. કે પહેલીજવાર આ ગામમા દીપડો ચડી આવ્યો અને હુમલો કર્યો વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કામગીરી ચાલુ કરવામાં આવી છે.

(5:51 pm IST)