સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સાત કોરોના કેર સેન્ટરમાં અનુદાન અર્પણ કર્યું

સાત કોરોના કેર સેન્ટરને ૧૧-૧૧ હજારનું અનુદાન અર્પણ

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીમાં જુદી – જુદી જ્ઞાતિઓના ચલાવાતા સાત જેટલા કોરોના કેર સેન્ટર (૧) યદુનંદન ગૌ સેવા સંચાલિત કોરોના કેર સેન્ટર, (૨) યંગ ઈન્ડિયા ગ્રુપ સંચાલિત કોરોના કેર સેન્ટર,(૩) પરશુરામ ધામ કોરોના કેર સેન્ટર, (૪) પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર,(૫) જય અંબે કોરોના કેર સેન્ટર – બેલા (૬) રઘુવંશી સમાજ કોરોના કેર સેન્ટર અને (૭) સતવારા સમાજ કોરોના કેર સેન્ટરમાં પ્રત્યેકના રૂ. ૧૧,૦૦૦ લેખે કુલ રૂ. ૭૭,૦૦૦ નું અનુદાન આપીને કોરોનાના દર્દીઓ પરત્વે પોતાની સંવેદના વ્યક્ત કરી માનવ સેવાનું સ્તુત્ય પગલું હનુમાન જયંતીના પાવન પર્વે ભર્યું છે.
ધારાસભ્ય બ્રિજેશ મેરજાના યુવાન પુત્ર ડૉ. પ્રશાંત મેરજા તા. ૧૯.૦૪.૨૦૦૮ ના રોજ ૨૩ વર્ષની યુવાન વયે કાર અકસ્માતમાં દિવંગત થયેલા છે. તેમજ માતૃશ્રી વજીબેન તા. ૨૨.૦૫.૨૦૧૬ ના રોજ સ્વર્ગે સિધ્ધાર્યા છે. જોગાનુજોગ આ બંને દિવ્ય આત્માઓ હનુમાન જયંતિના પાવન પર્વે પરલોક સિધ્ધારતા તેમની સ્મૃતિમાં આજે હનુમાન જયંતીએ રૂ. ૭૭,૦૦૦૦ નું અનુદાન કરીને અન્યને પ્રેરણા પૂરી પાડી છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજા માનવ સેવા માટે હંમેશા સંવેદનસભર હ્રદય સાથે લોક સેવા કરી રહ્યા છે.

(10:06 pm IST)