જસદણના ગોડલાધારમાં જુના મનદુઃખના કારણે કુરજીભાઇ ઝાપડીયા પર હૂમલો
ભરત ઝાપડીયા, દિનેશ ઝાપડીયા, લાલજી ઝાપડીયા અને રાજુ ઝાપડીયા સામે ગુનો
રાજકોટ તા. ર૭ : જસદણના ગોડલાધાર ગામની સીમમાં જૂના મનદુઃખના કારણે પ્રૌઢ પર ચાર શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગોડલાધાર ગામમાં રહેતા કુરજીભાઇ સાતાભાઇ ઝાપડીયા પીરવાર સાથે ગામ નજીક વાડીના મકાનમાં હતાં ત્યારે અગાઉના મનદુઃખનો ખાર રાખી ભરત દિનેશભાઇ ઝાપડીયા, દિનેશ લીંબાભાઇ ઝાપડીયા, લાલજી દિનેશભાઇ ઝાપડીયા અને રાજુ દીનેશભાઇ ઝાપડીયા આવી ઝઘડો કરી ઉશ્કેરાઇને લાકડી વડે માર મારી કુરજીભાઇને કપાળના ભાગે તથા ડાબા હાથમાં ઇજા કરી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા આ બનાવ અંગે કુરજીભાઇ ઝાપડીયાએ જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. સુરેશભાઇએ તપાસ હાથ ધરી છે.