સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

ભાયાવદર ભાજપના પૂર્વ પ્રમુખ અને તેના પિતાનો ૩ દિવસમાં કોરોનાએ ભોગ લીધો

મિતેષ અમૃતિયા અને રમેશભાઇ અમૃતિયાના મોતથી ભારે શોક

ધોરાજી-ભાયાવદર તા. ર૭ :.. કોરોના મહાકાળે દેશભરમાં માઝા મુકેલ છે ત્યારે ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં કાળોકેર વર્તાવ્યો છે. ભાયાવદર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અને ઉપલેટા માર્કેટ યાર્ડના ડાયરેકટર શ્રી મીતેષ રમેશભાઇ અમૃતીયા (ઉ.૪પ) નું ગત રાત્રીના અને તેના પિતા રમેશભાઇ વિઠ્ઠલભાઇ અમૃતિયા ઉ.૭૩ નું ગત તા. ર૪ એપ્રિલ ર૧ ના રોજ કોરોનાએ પિતા-પુત્રનો ભોગ લઇ લેતા ભાયાવદરમાં ભારે શોકનું વાતાવરણ છવાઇ ગયું છે.

મીતેષ અમૃતીયા છેલ્લા દોઢ વર્ષથી રાજકોટ વેપાર-ધંધાર્થે સ્થાયી થયેલો, હર્યો ભર્યો પરિવાર સાથે મીતેષ ના ઘરના ફુલ છ સભ્યો હતા તાજેતરમાં બીજા રીંગ રોડ પર પોતાનું નવું મકાન નવી ગાડી સાથે નવું કારખાનું ઉભું કરેલું હતું તેમના પરિવારમાં માતા-પિતા પોતે-પત્ની, પુત્રી અને પુત્ર એમ ૬ સભ્યો હતા પરંતુ તેના પિતાને કોરોના આવતા ભાયાવદર થી રાજકોટ શાંતિ હોસ્પિટલમાં દાખલ કરેલા પરંતુ તેમને તબીબો બચાવી ના શકયા તબીબોની ભારે મહેનત પછી ગત તા. ર૪ એપ્રિલના રોજ અવસાન થયું રમેશભાઇ વિઠલભાઇ અમૃતિયા (ઉ.૭૩) વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા તેમના પગલે તેમનો પુત્ર મિતેષ રમેશભાઇ અમૃતિયા (ઉ.૪પ) ચાલી રહ્યો હતો. તે રાજકીય રીતે ભાજપમાં ભાયાવદર શહેર ભાજપ પ્રમુખ અને ઉપલેટા માર્કેટ યાર્ડનો ડીરેકટર બનેલો છેલ્લે રાજકોટ વેપાર - ધંધાર્થે રાજકોટ સ્થાયી થયો. પરંતુ તેમના પરિવારને કોરોના એ ઝપટમાં લીધો જેમાં મીતેષને જુનાગઢ રાજકોટમાં બેડ - પથારી ની સગવડ નહિ હોવાથી સારવાર લેવા ગયા ત્યાં તબીબોએ સારામાં સારી સારવાર આપેલ હોવા છતાં મીતેષ રમેશભાઇ અમૃતીયા (ઉ.વ.૪પ) નું ગત રાત્રીએ જુનાગઢ અવસાન થયું તેમની અંતિમ વિધી રાજકોટ કરવામાં આવનાર છે. મીતેષને બચાવવા કેબીનેટ મંંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજકોટ  જીલ્લા મહામંત્રી મનિષ ચાંગેલા અને પૂર્વ મંત્રી સ્વ. મોલા પટેલના પુત્ર કલ્પેશ પટેલે ભારે જહેમત ઉઠાવેલ હતી. છતાં કુદરતનું ધાર્યુ જ થયું...!!

(11:42 am IST)