સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

સુરેન્‍દ્રનગરમાં ઓકિસજનનો જથ્‍થો વધારે આપવા માંગણી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૭: સુરેન્‍દ્રનગર જીલ્લા માં હાલ માં મળતા ૧૨ ટન પ્રતિ ૩૬ કલાકે કાચા લીકવીડ ઓક્‍સિજન ગેસ રૂપી આપવામાં આવે છે જેનું ઓક્‍સિજન ઉત્‍પાદન સ્‍ટીલમેન કંપની દ્વારા કરવા આવે છે.

જીલ્લામાં આવેલ સરકારી, ખાનગી હોસ્‍પિટલ અને હોમ ઇસોલેશનના દર્દીઓને આપવામાં આવે છે આ ઉપરાંત આ ૧૨ ટન પ્રતિ ૩૬ કલાકના જથ્‍થામાંથી હળવદ, ધંધુકા, અમરેલી ને પણ આપવામાં આવે છે

હાલની સુરેન્‍દ્રનગર જીલ્લાની કોરોના દર્દીઓની સંખ્‍યામાં થઈ રહેલ વધારા થી સુરેન્‍દ્રનગર જીલ્લાને અપાતો ૧૨ ટન પ્રતિ ૩૬ કલાકના લીકવીડ ઓક્‍સિજન ના જથ્‍થાને વધારીને ૨૦ ટન પ્રતિ ૨૪ કલાક કરી આપવા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ સુરેન્‍દ્રનગરની જનતાએ માંગણ કરી છે.

(10:05 am IST)