કલારીયાના આરદેશણા દંપતિ જીવતા જગતીયુ કરશે સમસ્ત ગામ જમણવાર : કાનગોપીનો કાર્યક્રમ
ભાયાવદર, તા. ર૭ : ભાયાવદર નજીક આવેલ નવા કલારીયામાં આરદેશણા દંપતિએ તા. ર૮ ને શનિવારે જીવતા જગતીયુ કરવાનો નિર્ણય કરેલ છે. આ જીવતા જગતીયામાં ગામ સમસ્તનો જમણવાર અને કાન ગોપલીનો કાર્યક્રમ રાખેલ છે.
નવા કલારીયામાં રહેતા વિઠલભાઇ ભુરાભાઇ આરદેશણા તથા વિજયાબેન વિઠલભાઇએ અગાઉ જીવતુ જગતીયુ કરવાનું નક્કી કરેલ હતું. આ વાત તેમના પુત્ર રસીકભાઇ તથા દિકરીઓ તારાબેન, હંસાબેન, નીમુબેન, શોભનાબેન, કંચનબેનને કરતા તેઓ પણ સહમત થયેલ. અને કાનગોપીમાં જે પણ નાણા અકઠા થશે તે ગાયના ઘાસચારામાં તથા ગામના વિકાસમાં વપરાશે તેમ દંપતિએ જણાવેલ છે.
આજના આધુનિક યુગમાં જીવન સારૂ જીવી ગયા પણ જીવનમૃત્યુ પહેલા પોતાના હાથેથી સારૂ કામ કરતા અને જીવતુ જગતીયુ કરાવામાં આવે અને પોતે બધુ જોઇને તેથી પોતાના આત્માને શાંતિ થાય, અત્યારના સમયમાં જીવતુ જગતીયુ કરવુ ખૂબજ અઘરૂ છે પણ આરદેશણા દંપતિઓ સમાજને નવો રાહ ચીંધીને સમાજ સેવાનો દાખલો આપેલ છે.